ભાવનગરઃ એક જ વર્ષ પહેલા નદી પર બનેલો કોઝ-વે તૂટી ગયો, જુઓ બ્રિજના કેવા થયા હાલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Aug 2020 10:23 AM (IST)
ઉપરવાસ ભારે વરસાદના પગલે ઘેલો નદીમાં પુષ્કળ પ્રમાણ પાણીની આવક થઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેનો રસ્તો ધોવાણ થયો છે.
ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુરના નશીતપર ગામે ઘેલો નદી પરનો કોઝવે ધોવાયો છે. નશીતપુર ગામે એક વર્ષ પૂર્વે બનાવેલો ઘેલો નદી પરનો કોઝવે ધોવાણ થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસ ભારે વરસાદના પગલે ઘેલો નદીમાં પુષ્કળ પ્રમાણ પાણીની આવક થઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેનો રસ્તો ધોવાણ થયો છે. કોઝ-વે ધોવાતા મોટી સંખ્યામાં ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા. તેમજ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તૂટેલા કોઝવેના ભાગ તરફ પથ્થરો મૂક્યા હતા. જેથી કોઈ વ્યક્તિ એ તરફ વાહન હંકારે નહીં અને કોઈ દુર્ઘટના ઘટે નહીં.