રાજ્યના જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર ધવલ પટેલે રાજ્યમાં ખનીજ પરિવહન માટે આજથી નવો પરિપત્ર અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજ્યમાં ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાંજીપીએસસિસ્ટમ ફરજિયાત કરી છે.

રાજ્યભરમાં ખનીજ માફિયાઓ પર લગામ કસવા માટે હવે આકરા નિયમોલાદવામાં આવ્યાં છે. હવે આજથી ખનીજ વહન કરતા વાહનોમાંGPS સિસ્ટમ ફરજિયાત કરાઇ છે. જો ટ્રેકિંગસિસ્ટમમાંછેડછાડ થશે તો રોયલ્ટી બંધ કરી દેવાશે, ઉલ્લેખનિય છે કે, લીઝ-રોયલ્ટી ધારકોGPSમાંછેડછાડ કરતા હોવાથી આકરા નિયમોલદાયા છે. VTMS સિસ્ટમથીમોનિટરિંગ કરવામાં આવશે.

ગુજરાતમાં ખનીજ માફિયા દ્વારા થતી ખનીજ ચોરીને અટકાવવા માટે રાજ્યભરમાં આ નિયમ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખનીજ ચોરી પર બ્રેક લગાવવા માટે બધા જ જિલ્લામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગસ્ક્વોડનીટીમો સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત રાજ્યમાં રોયલ્ટી સાથે કાયદેસર ખનીજ પરિવહન કરતા તમામ વાહનો માટે જીપીએસસિસ્ટમલાગૂ કરી દેવાઇ છે. આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.                                              

ખનીજ ચોરીને બંધ કરવા માટે અને પારદર્શિતા જાળવવા માટે આ જીપીએસસિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે અને આ મામલે આકરા નિયમોલાદવામાં આવ્યાં છે. જો રોયલ્ટીધારક ખનીજ પરિવહન દરમિયાન જીપીએસસિસ્ટમ સાથે કોઇ પણ પ્રકારકના ચેડાં કરશે તો રોયલ્ટી બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત જો રોયલ્ટી ધારણ જીપીએસસિસ્ટમ બંધ કરી વાહનને અન્યત્ર રૂટ પણ ડાઇવર્ટ કરશે તો પણ તેમની રોયલ્ટી બંધ થઇ જશે. આ સાથે આકરા દંડની પણ જોગવાઇકરાઇ છે. ઉલ્લેખનિય છે કે, પહેલાથી રાજ્યમાં VTMS સિસ્ટમ એટલે કે, વ્હિકલટ્રેકિંગમોનિટરિંગસિસ્ટમ અમલી હોવા છતાં મોટાભાગના વાહનો ખનીજ પરિવહન દરમિયાન તેમના માન્ય GPS ઉપકરણો બંધ કરી દેતા હોવાનું સામે આવતા નવા નિયમને ચુસ્ત બનાવી દેવામાં આવ્યાં છે.