ગાંધીનગરઃ  ગુજરાતના 4 સીનિયર અધિકારી ઓમિક્રોન સંક્રમિત થયા છે. 3 I.A.S. અને 1  I.P.S. અધિકારી ઓમિક્રોન સંક્રમિત થયા છે. મનોજ અગ્રવાલનો ઓમિક્રોન રિપોર્ટ  પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિક મુખય સચિવ મનોજ અગ્રવાલ પોઝિટીવ આવ્યા છે. તો જયપ્રકાશ શિવહરે અને તેમની પત્ની પણ ઓમિક્રોન પોઝીટીવ આવ્યા છે. 


વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક સહિત 5 એન્જીનીઅર કોરોનાગ્રસ્ત થયા છે. એક કાર્યપાલક ઈજનેર, બે ડેપ્યુટી એન્જીનીઅર, બે એડિશનલ એન્જીનીઅર કોરોનાગ્રસ્ત થયા છે. 


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.  બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા. આજે  3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778,  વડોદરા   કોર્પોરેશનમાં 410,  વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191,  ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109,  નવસારી 107,  ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88,  ભરુચ 78,  ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47,  જૂનાગઢ કોર્પોરેશન 33,  અમદાવાદ 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24,  અમરેલી 23, અરવલ્લી 21,  સુરેન્દ્રનગર 19,બનાસકાંઠા 18, પાટણ 17,  ભાવનગર 15,  મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ 11, નર્મદા 11, દેવભૂમિ દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 3 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે. 



 



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 32469  કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 32440 નાગરિકો સ્ટેબલ છે. 825702 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10130 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 2  મૃત્યુ થયા. સુરતમાં 1 અને રાજકોટમાં 1 મોત થયું છે.