Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર 150 કરતાં વધુ બેઠકો પર વિજયી થયા છે. ભારતીય જનતા પાર્ટીના રાપર બેઠકથી ઉમેદવાર વિરેંદ્રસિંહ જાડેજા માત્ર 577 મતથી વિજેતા બન્યા છે. સોમનાથ બેઠક પરથી કૉંગ્રેસના વિમલ ચૂડાસમા 922 મતેથી વિજેતા બન્યા છે.
ભારતીય જનતા પાર્ટીના રાપર બેઠકથી ઉમેદવાર વિરેંદ્રસિંહ જાડેજાને 66961 મત મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર બચુભાઈ અરેઠીયાને 66384 મત મળ્યા હતા.
કૉંગ્રેસના જીતેલા 17 ધારાસભ્યોની લીડ
પોરબંદર અર્જૂન મોઢવાડિયા 8181આંકલાવ અમીત ચાવડા 2729વીજાપુર સી.જે.ચાવડા 7053વડગામ જીગ્નેશ મેવાણી 4928વાવ ગેનીબેન ઠાકોર 15601દાંતા કાંતિ ખરાડી 6327કાંકરેજ અમૃતજી ઠાકોર 5295પાટણ કિરીટ પટેલ 17177ચાણસ્મા દિનેશ ઠાકોર 1404વાંસદા અનંત પટેલ 35,033દાણીલીમડા શૈલેશ પરમાર 13,487જમાલપુર ખાડીયા ઈમરાન ખેડાવાલ 13,658ખંભાત ચિરાગ પટેલ 3711ખેડબ્રહ્મા તુષાર ચૌધરી 1464લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ 26620માણાવદર અરવિંદ લાડાણી 3553સોમનાથ વિમલ ચુડાસમા 922
શું કહ્યું સી.આર.પાટીલે
સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો. ૨૭ વર્ષ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટી ૫ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. આ વિજય માં હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે, જેમને કઠોર પરિશ્રમ કર્યો. નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા દિલથી ચાહે છે. અમિત શાહ નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમને ૩૩ સભા કરી, રોડ શો કર્યા. જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારું માર્ગદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રચાર માટે આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર કરી શકે તેનું ઉદાહરણ આ પરિણામ છે. ગુજરાતમાં બીજી પાર્ટીએ ઘણા વચનો કર્યા, વાતો કરી પરંતુ તે સરકાર તો બનાવવાની જ નહોતી. આ ગુજરાત છે જે સમર્થ અને અભિવાદનને ઓળખે છે, બીજી પાર્ટીને નકારીને ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. મને વિશ્વાસ છે ગુજરાત જનતાનાં આશીર્વાદથી આ સરકાર બની છે. યુવા મહિલા, કિસાન યુવા મતદાતાઓને ગુજરાતને સુરક્ષિત રાખવા માટે જે વિશ્વાસ રાખ્યો છે. શપથ વિધિ ૧૨ તારીખે ૨ વાગ્યે થશે.