ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શું કર્યું ટ્વિટ? વાંચો આ રહ્યું ટ્વિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2020 10:58 AM (IST)
પરેશ ધાનાણી ટ્વિટ કરીને લખ્યું હતું કે, પરેશ ધાનાણીએ કોરોનાના કહેરનો જવાબદાર કોણ? વિદેશી વાયરસને 'નમસ્ત' કહેવા માટે નિમંત્રણ આપનારી 'તઘલખી' સરકાર.
હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કર્યું હતું જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરેશ ધાનાણી ટ્વિટ કરીને લખ્યું હતું કે, પરેશ ધાનાણીએ કોરોનાના કહેરનો જવાબદાર કોણ? વિદેશી વાયરસને 'નમસ્ત' કહેવા માટે નિમંત્રણ આપનારી 'તઘલખી' સરકાર. આ ઉપરાંત વધુમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, હવે ‘તબલિકી જમાત’ની વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલ ‘લુક આઉટ’ નોટિસ પરત કેમ ખેંચી રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું હતું કે, તબલિગી જમાતની ગતિવિધિઓ સાથે જોડાયેલા વિદેશીઓની વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલ લુક આઉટ નોટિસ પરત ખેંચી લેવામાં આવી છે. 35 દેશોના નાગરિકોને બ્લેક લિસ્ટ કરવાને લઈ સરકારના આદેશને આ વિદેશીઓને સુપ્રિમ કોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી.