ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. 


રાજ્યમાં આજે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે. 

છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 

તારીખ

કેસ

મોત

24 એપ્રિલ

14097

152

23 એપ્રિલ

13804

142

22 એપ્રિલ

13015

137

21 એપ્રિલ

12553

125

20 એપ્રિલ

12206

121

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત  કોર્પોરેશનમાં 25,  વડોદરા કોર્પોરેશન-9,રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, જામનગર કોર્પોરેશન 8,   સુરત-3,  બનાસકાંઠા-3, જામનગર-7, પાટણ 2,વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન-4,  સાબરકાંઠા 6, ભાવનગર 4, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 2, જૂનાગઢ 2, મહીસાગર 2, વલસાડ 2, તાપી 1, અમરેલી 2, સુરેન્દ્રનગર 6, આણંદ 1, અરવલ્લી 2, અમદાવાદ 1,  મોરબી 5, પોરબંદર 1,   દેવભૂમિ દ્વારકામાં 2, ડાંગ 3, રાજકોટ 4  અને બોટાદમાં 1 મોત થયું છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5617,  સુરત કોર્પોરેશનમાં 2321, વડોદરા કોર્પોરેશન-523,રાજકોટ કોર્પોરેશન 462, મહેસાણા 430, જામનગર કોર્પોરેશન-371, સુરત 365 બનાસકાંઠા-291,  જામનગર-268, પાટણ 212, કચ્છ-190, વડોદરા-178,  ભાવનગર કોર્પોરેશન-172,  ગાંધીનગર કોર્પોરેશન-166, ભરૂચ 154,   ખેડા 146,સાબરકાંઠા 144, નવસારી 143, ભાવનગર 138,  જૂનાગઢ કોર્પોરેશન 134, દાહોદ 126, ગાંધીનગર 120, જૂનાગઢ 114, મહીસાગર 110, ગીર સોમનાથ 107, પંચમહાલ 105, વલસાડ 105, તાપી 104, અમરેલી 98, સુરેન્દ્રનગર 98, આણંદ 88, નર્મદા 71, અરવલ્લી 67, અમદાવાદ 66, મોરબી 65, પોરબંદર 49, દેવભૂમિ દ્વારકા 44, ડાંગ 39, રાજકોટ 38, બોટાદ 33 અને છોટા ઉદેપુર 25 કેસ નોંધાયા હતા. 

 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,99,215 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18,71,782 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,11,70,997 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.