ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.  પાંચ મહિના બાદ ગુજરાતમાં કોરોનાના કેસ 100ને પાર થયા છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 111  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,129  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,13,972 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત  કોર્પોરેશન 17, રાજકોટ   કોર્પોરેશનમાં 11,વડોદરા કોર્પોરેશન 10,  કચ્છ 5, વલસાડ 5, ખેડા 4, નવસારી 4, આણંદ 3, રાજકોટ 3, મહીસાગર 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, વડોદરા 1 નવો કેસ નોંધાયો હતો.



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 668  કેસ છે. જે પૈકી 12 વેન્ટીલેટર પર છે, જ્યારે 656 નાગરિકો સ્ટેબલ છે. 8,18,129  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10108 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે આણંદ 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 676 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5878 લોકોને પ્રથમ અને 47900 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20924 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138591 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,13,972 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,78,97,734 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.



અમદાવાદ, અમરેલી,  અરવલ્લી,   બનાસકાંઠા, ભરૂચ,  ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, મહેસાણા,   મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.