સુરત: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1175 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2855 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14454 એક્ટિવ કેસ છે, જ્યારે 65953 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસથી મહામારી વચ્ચે રાજ્યમાં આજે 1123 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


સુરત કોર્પોરેશનમાં આજે 163 કેસ નોંધાયા હતા. તેની સામે 246 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 155 કેસ નોંધાયા અને સામે 146 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 1123 લોકો ડિસ્ચાર્જ થયા હતા.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,મહેસાણામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 16 લોકોના મોત થયા છે.