ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1175 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2855 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14454 એક્ટિવ કેસ છે, જ્યારે 65953 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14368 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 83262 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,મહેસાણામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 16 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 155, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમાં 74, રાજકોટ કોર્પોરેશનમાં 67, જામનગર કોર્પોરેશન 65, પંચમહાલ 42, કચ્છ 35, દાહોદ 32, રાજકોટ 31, ભાવનગર 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, મોરબી 26, વડોદરામાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22, ભરૂચ 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1123 દર્દી સાજા થયા હતા અને 68,581 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 15,47,210 ટેસ્ટ કરવામાં આવ્યા છે.