ગાંધીનગરઃ ગુજરાતમાં આજે 1185 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,804 એક્ટિવ કેસ છે, જ્યારે 1,37,870 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,718 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,56,283 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1, મહીસાગરમાં 1, પાટણમાં 1, તાપીમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 75, સુરતમાં 73, જામનગર કોર્પોરેશનમાં 59, વડોદરામાં 42, રાજકોટ 34, મહેસાણામાં 33, કચ્છ 31, ભરૂચ 28, અમરેલીમાં 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, જામનગરમાં 23, પંચમહાલ 23, પાટણ 23, બનાસકાંઠા 22, જુનાગઢ 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1329 દર્દી સાજા થયા હતા અને 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,16,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા છે.