ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,32,464 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 158 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 154 નાગરિકો સ્ટેબલ છે. 8,15,712 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.  સુરત કોર્પોરેશનમાં 6,  અમદાવાદ  કોર્પોરેશનમાં 2, ખેડા 2, વલસાડ 2, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, તાપી 1, વડોદરા કોર્પોરેશન 1 કેસ  નોંધાયો હતો.  


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  9  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2693 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 27506 નાગરિકોને  રસીનો પ્રથમ અને 33397  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  79443 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 80416 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,23,464 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,12,16,916  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.



અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ,   સાબરકાંઠા,  સુરત , સુરેન્દ્રનગર અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.