ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા  16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 5,05,671 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 149 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 146 નાગરિકો સ્ટેબલ છે. 8,15,599 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.  સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા  કોર્પોરેશનમાં 3, નવસારી 2, રાજકોટ કોર્પોરેશન 2, જામનગર 1, રાજકોટ 1 અને વલસાડ  1  કોરોનાનો કેસ નોંધાયો છે.



રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  13  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2569 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 66282 નાગરિકોને રસીનો પ્રથમ અને 65756  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 183155 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 187896 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,05,671 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,93,80,142  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.



અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર કોર્પોરેશન,    જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,    મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,  તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.