ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 18  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.   આજે  8,58,029 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 183 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,872 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, વલસાડમાં 4, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2  કેસ નોંધાયા છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 40 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 11374  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 74555 નાગરિકોને રસીનો પ્રથમ અને 190229 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 230464 નાગરિકોને રસીનો પ્રથમ અને 351367 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 8,58,029 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,50,26,318 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.