ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે અત્યાર 1430 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3339 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,337  એક્ટિવ કેસ છે, જ્યારે 1,05,901 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,248 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,24,767 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી  કુલ 17  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 179, અમદાવાદ કોર્પોરેશનમાં 157,  સુરતમાં 111, જામનગર કોર્પોરેશમાં 100, રાજકોટ કોર્પોરેશનમાં 101, વડોદરા કોર્પોરેશનાં 95,  મહેસાણામાં 60, બનાસકાંઠામાં 53, રાજકોટ અને વડોદરામાં 42-42, અમરેલીમાં 32, મોરબીમાં 29, પંચમહાલમા 28, ભાવનગર કોર્પોરેશન, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 27-27, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, જામનગરમાં 23, ગાંધીનગરમાં 22, અમદાવાદ અને પાટણમા 20-20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1316 દર્દી સાજા થયા હતા અને 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 38,62,366  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,19,417 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,19,009 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 408 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ