ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે   રાજ્યમાં 1408 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,354  એક્ટિવ કેસ છે, જ્યારે 1,09,211 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,265 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,28,949 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી  કુલ 14  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 156,  રાજકોટ કોર્પોરેશનમમાં 102, સુરતમાં 102, જામનગર કોર્પોરેશનમાં 91, વડોદરા કોર્પોરેશનમાં 91, મહેસાણામાં 49, રાજકોટમા 45, બનાસકાંઠામાં 44, વડોદરામા 42, કચ્છમાં 33, પાટણમાં 33, અમરેલીમાં 28, પંચમહાલમાં 28, અમદાવાદમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચ અને ગાંધીનગરમાં 23-23 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1510 દર્દી સાજા થયા હતા અને 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 40,48,274  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.69 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,98,996 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,98,612 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 384 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.