ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 33 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,032 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 1,43,050 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વડોદરા કોર્પોરેશનમાં 6, કચ્છ 5, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશન 4, અમદાવાદ 1, ભાવનગર 1, ગીર સોમનાથ 1, નવસારી 1, પોરબંદર 1 અને વડોદરામાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 284  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 280 નાગરિકો સ્ટેબલ છે. 8,17,032  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 560 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3972 નાગરિકોને રસીનો પ્રથમ અને 32932 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13556 નાગરિકોને રસીનો પ્રથમ અને 92027 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,43,050 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,00,23,305 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,   ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,   મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,   સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી અને  વલસાડમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.