ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  આજે રાજ્યમાં 1343 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3490 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,789   એક્ટિવ કેસ છે, જ્યારે 1,21,119 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,698 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,41,398 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, નર્મદામાં 1, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી  કુલ 12  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 171, સુરતમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 107, વડોદરા કોર્પોરેશનમાં 86, જામનગર કોર્પોરેશનમાં 65, રાજકોટમાં 56, મહેસાણામાં 55, વડોદરામાં 42, પાટણમાં 31, કચ્છમાં 29, અમરેલીમાં 27, સુરેન્દ્રનગરમાં 26, જામનગરમાં 25, બનાસકાંઠામાં 24, ભરૂચમાં 24, ભાવનગર કોર્પોરેશનમાં 24, અમદાવાદમાં 23, મોરબીમાં 21, ગીર સોમનાથમાં 20 કેસ નોંધયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1304 દર્દી સાજા થયા હતા અને 57,065  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 45,88,563  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.66 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,68,988 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,95,221 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 466 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ