ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 305   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3386  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 33 લોકો વેન્ટીલેટર પર છે. 3353 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,07,284 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,911 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 5 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 120, વડોદરા કોર્પોરેશનમાં 40, વડોદરા 29,  બનાસકાંઠા 17, પાટણમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, સુરતમાં 9, સુરત કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 7, ડાંગમાં 6, આણંદમાં 5, ભરૂચમાં 5, કચ્છમાં 4, અમદાવાદમાં 3, અમરેલીમાં 3, દાહોદમાં 3, મોરબીમાં 3, ગીર સોમનાથમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, પંચમહાલમાં 2, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં કોરોનાના નવા એક-એક કેસ નોંધાયા છે.


બીજી તરફ આજે  839 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.83  ટકાએ પહોંચ્યો છે. આજે 1,38,874 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશન 2, ભરૂચમાં એક, સાબરકાંઠામાં એક, ભાવનગરમાં એક કોરોના દર્દીઓનું મોત થયું હતું.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16 ને પ્રથમ અને 57 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3189 ને પ્રથમ અને 7077 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12,345 ને પ્રથમ અને 42,001 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4742 ને પ્રથમ અને 51,786 ને બીજો ડોઝ અપાયો હતો. 17,661 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,38,874  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,26,14,662 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.