ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53  કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી.    રાજ્યમાં આજે  258  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1151  છે. જે પૈકી 8  દર્દી વેન્ટીલેટર પર છે. 


રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 9, દેવભૂમિ દ્વારકા 4, રાજકોટ કોર્પોરેશન 4, ભરુચ 3, કચ્છ 2, મહીસાગર 2, મોરબી 2, સુરત 2, વડોદરા 2, વલસાડ 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1, ગીર સોમનાથ 1,  જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, સાબરકાંઠા 1, અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 53 કેસ નોંધાયા છે. 


એક્ટિવ કેસની વાત કરીએ તો 1151 કુલ કેસ છે. જે પૈકી 8 લોકો વેન્ટીલેટર પર છે. 1143 લોકો સ્ટેબલ છે. 8,12,976 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10073 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં કુલ 3,02,282 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.64 ટકાએ પહોંચ્યો છે. 


જો રસીકરણની વાત કરીએ તો આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 220ને પ્રથમ ડોઝ અને 13835 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 45569 લોકોને પ્રથમ અને 88007 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 18-45 વર્ષના નાગરિકો પૈકી 143419 લોકોને પ્રથમ ડોઝ અને 11232 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 3,02,282 લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 2,76,27,473 લોકોને રસી અપાઇ ચુકી છે. 


જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1151 લોકોની સારવાર ચાલી રહી છે. જે પૈકી 08 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1143 લોકો સ્ટેબલ છે. 8,12,976 લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10073 લોકોનાં રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોત નિપજ્યાં છે.