ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1040  કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 12667  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 84 લોકો વેન્ટીલેટર પર છે. 12583 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1192841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10822 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 14 લોકોના મોત થયા છે.


કોરોનાનો રિકવરી રેટ પણ 98.07  ટકા


બીજી તરફ આજે 2570 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.07  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  14 મોત થયા. આજે  1,58,738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


કોરોનાના કારણે 14 લોકોના મોત થયા



આજે કોરોનાના કારણે 14 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 1, પંચમહાલ 1,  ભાવનગર કોર્પોરેશન 1, મોરબી 1, વલસાડ 1, ભાવનગર 2, મહીસાગર 1, જામનગર 1 કોરોના દર્દીઓનું મોત થયું છે.


અત્યાર સુધીમાં કુલ  10,11,82,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા


અત્યાર સુધીમાં કુલ  1192841  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.07 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22 ને પ્રથમ અને 98 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2382 ને પ્રથમ અને 8776 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11830  ને પ્રથમ અને 41237 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 12071 ને પ્રથમ અને 54688 ને બીજો ડોઝ અપાયો હતો. 27634 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,58,738  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,11,82,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.