ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 67  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,35,822 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં સાત, સુરતમાં ચાર, બનાસકાંઠામાં ત્રણ, વલસાડમાં ત્રણ, અમદાવાદમાં બે, કચ્છમાં બે, નવસારીમાં બે, તાપીમાં બે, વડોદરામાં એક નવા કેસ નોંધાયા હતા.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 417  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 409 નાગરિકો સ્ટેબલ છે. 8,17,361  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 25 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1713 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10,094 નાગરિકોને રસીનો પ્રથમ અને 76,923 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34,166 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,12,901 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,35,822 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,38,62,280 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર, જૂનાગઢ,   જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર,  મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ,  પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન  સાબરકાંઠા ,સુરેન્દ્રનગરમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી