ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 30  કેસ નોંધાયા છે. રાજ્યમાં તહેવાર પહેલા કોરોના સંક્રમણમાં વધારો થયો છે.  બીજી તરફ 18   દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,205 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક   મોત થયું છે.  આજે  3,44,908 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશન 8, સુરક કોર્પોરેશન 5, વલસાડ 5, સુરત 3,  વડોદરા કોર્પોરેશન 3, ગીર સોમનાથ 2, નવસારી 2, જૂનાગઢ 1 અને કચ્છમાં 1  કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 171  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 166 નાગરિકો સ્ટેબલ છે. 8,16,205 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશન 8, સુરક કોર્પોરેશન 5, વલસાડ 5, સુરત 3,  વડોદરા કોર્પોરેશન 3, ગીર સોમનાથ 2, નવસારી 2, જૂનાગઢ 1 અને કચ્છમાં 1  કેસ નોંધાયો છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1419 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15768 નાગરિકોને રસીનો પ્રથમ અને 78969 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 47742 નાગરિકોને રસીનો પ્રથમ અને 201004 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,44,908 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,93,28,268 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદવાદ,  અમરેલી,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા,   સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.