ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 537  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 531 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212124  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી. 


અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 10, તાપી 3, વડોદરા 3, મોરબી 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 અને નવસારીમાં 1  કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી


અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,   ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા,  નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,   રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 60 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06  ટકાએ પહોંચ્યો છે. આજે 15,923 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.06 ટકા છે. 


રાજ્યમાં રસીકરણ


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1709 ને રસીનો પ્રથમ અને 8434 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 181ને રસીનો પ્રથમ જ્યારે 2735 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 2864 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 15923 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,39,73,990 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.