ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1883  કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 18301  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 105 લોકો વેન્ટીલેટર પર છે. 18196 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1183294 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10775 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 14 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 5005 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.60  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  14 મોત થયા. આજે 2,06,636 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 1, રાજકોટ 1, ભરુચ 1, દાહોદ 2, સુરેન્દ્રનગર 1 અને જામનગરમાં  એક કોરોના દર્દીઓનું મોત થયું છે.


અત્યાર સુધીમાં કુલ  1183294  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.60 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24 ને પ્રથમ અને 48 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3312 ને પ્રથમ અને 10320 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17574 ને પ્રથમ અને 52075 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 14987 ને પ્રથમ અને 66574 ને બીજો ડોઝ અપાયો હતો. 41722 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,06,636  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,07,17,057 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.