ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી.   આજે 87,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વડોદરા કોર્પોરેશન 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10,  સુરત કોર્પોરેશનમાં 8,જામનગર કોર્પોરેશનમાં 4,  કચ્છ 4, વલસાડ 3, અમરેલી 2, નવસારી 2,  આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1 અને  વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 548  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 542 નાગરિકો સ્ટેબલ છે. 8,17,487  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

Continues below advertisement

બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3063 નાગરિકોને રસીનો પ્રથમ અને 19366 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9799 નાગરિકોને રસીનો પ્રથમ અને 55182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 87,796 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,53,00,128 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદાવાદ,  અરવલ્લી,  બનાસકાંઠા,  ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર,  ગીર સોમનાથ,  જામનગર,   જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મોરબી,   પંચમહાલ,  પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન,   સાબરકાંઠા , સુરત  અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.