ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 63  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. ચિંતાના સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 લોકોના મોત થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,428 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા.  આજે 5,58,618 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશન 11, સુરત કોર્પોરેશનમાં 11,   વડોદરા કોર્પોરેશનમાં 11, કચ્છ 3, નવસારી 3, વલસાડ 3, રાજકોટ કોર્પોરેશનમાં 2,આણંદ 1, બનાસકાંઠા 1,  ગાંધીનગર કોર્પોરેશનમાં 1,પંચમહાલ 1,  રાજકોટ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 480  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 474 નાગરિકો સ્ટેબલ છે. 8,17,428  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 34 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1127 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15107 નાગરિકોને રસીનો પ્રથમ અને 136309 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40223 નાગરિકોને રસીનો પ્રથમ અને 365818 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,58,618 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,47,96,786 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  ભરૂચ, ભાવનગર,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ,  જામનગર,   જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,   પાટણ, પોરબંદર,  સાબરકાંઠા , સુરત સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.