ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1109  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 08 લોકો વેન્ટીલેટર પર છે. 1101 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211087  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું હતું.


અમદાવાદ કોર્પોરેશનમાં 38, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, તાપી 5, અમરેલી 4, આણંદ 4, વડોદરા 4, બનાસકાંઠા 3, કચ્છ 3, સુરત 3, ડાંગ 2, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 2, મહેસાણા 2,  કોરોનાના નવા કેસ નોંધાયા હતા.


તે સિવાય અરવલ્લી, ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ  અને સાબરકાંઠામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 237 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.02  ટકાએ પહોંચ્યો છે. આજે 99,237 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે એક પણ મોત થયું નથી.  


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 8613 નાગરિકોને પ્રથમ અને 39839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2469 ને રસીનો પ્રથમ અને 32722 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15594 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 99,237 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,32,93,021 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.