રાજ્યમાં અત્યાર સુધી 263475 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.47 ટકા પર પહોંચ્યો છે. હાલ 2429 એક્ટિવ કેસ છે, જેમાંથી 35 લોકો વેન્ટિલેટર પર અને 2394 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 96, વડોદરા કોર્પોરેશનમાં 73, સુરત કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 44, પંચમહાલ 14, કચ્છ 11, વડોદરા 11, આણંદ 9, જામનગર કોર્પોરેશન 9 , સાબરકાંઠા 8, દાહોદ, જુનાગઢ અને ખેડામાં 7-7 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,83,601 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 1,89,624 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.