રાજ્યમાં હાલ 12360 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,16,683 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12296 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,33,263 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન-1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 9 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 221, સુરત કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 108, રાજકોટ કોર્પોરેશનમાં 86, મહેસાણા 33, વડોદરા 41, સુરત- 34, સાબરકાંઠા-33, ગાંધીનગર-28, કચ્છ-25, પંચમહાલ-25, બનાસકાંઠા-23, દાહોદ-23, ગાંધીનગર કોર્પોરેશન-17, ખેડા-17, સુરેન્દ્રનગરમાં 17 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1155 દર્દી સાજા થયા હતા અને 54, 757 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 89,44, 722 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.89 ટકા છે.