ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 249 નવા કેસ નોંધાયા હતા જ્યારે 280 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4401 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 1708 એક્ટિવ કેસ છે, જેમાંથી 27 લોકો વેન્ટિલેટર પર અને 1681 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,59,384 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 47, સુરત કોર્પોરેશન 35, વડોદરા કોર્પોરેશમાં 34, રાજકોટ કોર્પોરેશન 29, વડોદરા 10, રાજકોટ-8, ગીર સોમનાથ, ખેડા અને નર્મદામાં 7-7 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 7,96,659 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 5,057 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.