ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 285 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.10 ટકા પર પહોંચ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 422 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,54,531 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3203 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 3174 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાથી કુલ 1 મોત થયું છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4389 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 76, અમદાવાદ કોર્પોરેશનમાં 60, સુરત કોર્પોરેશનમાં 33, રાજકોટ કોર્પોરેશનમાં 23, વડોદરામાં 10, આણંદ 8, જૂનાગઢ 8, રાજકોટ 8, ગીર સોમનાથ 6, અમરેલી, બનાસકાંઠા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન સુરતમાં 4-4 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 3,92,454 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે રાજ્યભરમાં 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.10 ટકા છે.