અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતગણતરીના દિવસને લઇને હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેને હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી લીધી છે. પિટિશનમાં અરજ કરવામાં આવી છે કે, ‘સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ.


હાઇકોર્ટે આ પિટિશનને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. તથા 6 ફેબ્રુઆરી સુધીમાં બંને પાસેથી સોગંદનામા પર જવાબ રજૂ કરવા હુકમ ફરમાવ્યો છે. આ મામલે 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.