ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા હતા જ્યારે 294 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,67,767 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે. રાજ્યમાં 22 દિવસ બાદ સોમવારે કોરોનાના કેસ 300થી વધારે 315 નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261575 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1786 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1755 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશમાં 67, સુરત કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 44, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ- 8, કચ્છ-7, આણંદ-6, ખેડા-6, મહીસાગર-6, અમદાવાદ-5, ગીર સોમનાથ-5, સુરત-5, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન 4-4 કેસ નોંધાયા હતા. રાજ્યના 8 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 8,14,435 લોકોને પ્રથમ ડોઝ અને 72,713 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણ વધ્યું, આજે 348 નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 08:11 PM (IST)
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261575 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -