Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 490 કેસ નોંધાયા, 707 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2021 07:38 PM (IST)
રાજ્યમાં હાલ 5748 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,47,223 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ફાઈલ ફોટો
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 490 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4371 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5748 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,47,223 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 51 દર્દી વેન્ટીલેટર પર છે અને 5697 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 102, સુરત કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશનમાં 71, રાજકોટ કોર્પોરેશનમાં 53, વડોદરા 23, સુરત 17, રાજકોટ 12, કચ્છ 14, ભાવનગર કોર્પરેશનમાં 10, મહેસાણામાં-10, ગાંધીનગરમાં 8 અને દાહોદમાં 7 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 707 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,69,999 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.