ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 698 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4321 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 9047 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,34,558 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 60 દર્દી વેન્ટીલેટર પર છે અને 8986 લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરતમાં 1 મળી કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ

આજે પાટણ અને પોરબંદરમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. વલસાડમાં, જામનગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 2, નવસારી, અરવલ્લી અને અમરેલીમાં 3-3 કેસ નોંધાયા હતા.