ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,73,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  



અત્યાર સુધી 254 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 249 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,570 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. 


 


રાજ્યમાં રસીકરણ


હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18040 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 47903 નાગરિકોને પ્રથમ ડોઝ અને 138772 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 57228 નાગરિકોને રસીનો પ્રથમ અને 111509 નાગરિકોને રસીનો બોજો ડોઝ અપાયો છે. આ પ્રકારે 3,73,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,36,37,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા 


અમદાવાદ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. 


ક્યાં ન નોંધાયો એક પણ કેસ


અમદાવાદ, અમરેલી, આણંદ, , અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એકપણ કેસ નોંધાયો નથી.