ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 49 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 1,75,971 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 8,14,356 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.   



ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ


અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદ 2, જામનગર કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 2, અમરેલીમાં 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જામનગર 1,  જુનાગઢમાં 1 કેસ નોંધાયો હતો.



અહીં ન નોંધાયો એક પણ કેસ


અમદાવાદ,આણંદ,  અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ,  મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.



હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર


રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 356 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 312 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 307 દર્દીની હાલત સ્થિર છે.


કેટલા લોકોને અપાયા રસીના ડોઝ


રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 1,75,971 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,18,06,252 પર પહોંચ્યો છે. જેમાં 93 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 4728 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45 વર્ષથી મોટા 22999ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી મોટા 33796ને બીજો ડોઝ, 18-45 વર્ષના 67698ને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 46657ને બીજો ડોઝ અપાયો હતો.



કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત


અમદાવાદ કોર્પોરેશનમાં 9 વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત 2,  જામનગર કોર્પોરેશનમાં 4, આણંદમાં 5  દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.