ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1118 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 23 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2697 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,125 એક્ટિવ કેસ છે, જ્યારે 56,416 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,046 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 73,238 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, પાટણમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 મળીને કુલ 23 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 90,  સુરતમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 55, જામગનર કોર્પોરેશનમાં 42, ભરૂચમાં 40, ભાવનગર કોર્પોરેશનમાં 37, પંચમહાલમાં 35, રાજકોટમાં 32, અમરેલીમાં 30  કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1140દર્દી સાજા થયા હતા અને 41,647 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  રાજ્યમાં અત્યાર સુધીમાં 10,58,881  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,96,169 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,92,575 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.