ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગરમાં 2, મોરબીમાં 2, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, પાટણમા 1, વડોદરા કોર્પોરેશનમાં 1 કુલ 20 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 159, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 99, સુરતમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 65, જામનગર કોર્પોરેશનમાં 52, પંચમહાલમાં 45, રાજકોટમાં 34, કચ્છમાં 31, ભરૂચમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, દાહોદમાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 959 દર્દી સાજા થયા હતા અને 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 13,12,824 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,00,731 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,932 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 829 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.