રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1075 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12360 એક્ટિવ કેસ છે, જ્યારે 2,16,683 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12296 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,33,263 પર પહોંચી છે.


રાજ્યમાં આજે વલસાડ, તાપી અને ડાંગમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નહોતો. વલસાડમાં આજે ચાર લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે તાપીમાં પાંચ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 1, પોરબંદરમાં 1, નવસારીમાં 2, ભાવનગરમાં 4,ગીર સોમનાથ 6, દેવભૂમિ દ્વારકા 6, બોટાદ 6 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 221 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1155 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,16,683 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.