અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે કોરોનાના કેસો 12 હજારને પાર થઈ ગયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 70 હજારને પાર થી ગયા છે. એમાં પણ અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 24 હજારને પાર થઈ ગયા છે. આ પછી સુરતમાં કોરોનાના એક્ટિવ કેસ 20 હજારને પાર થઈ ગયા છે. વડોદરામાં 7 હજાર, રાજકોટમાં 3 હજારથી વધુ એક્ટિવ કેસો છે. 

Sr No District Name Active Positive Cases Cases Tested for COVID19 Patients Recovered People Under Quarantine Total Deaths
1 Ahmedabad 24091 5971511 252670 33 3418
2 Amreli 200 693083 10885 80 103
3 Anand 593 668841 10477 0 51
4 Aravalli 26 423144 5199 0 79
5 Banaskantha 395 1041978 13591 0 162
6 Bharuch 995 605791 11955 0 118
7 Bhavnagar 1694 1370984 21720 118 306
8 Botad 6 292032 2181 0 42
9 Chhota Udaipur 13 330098 3368 0 38
10 Dahod 197 845610 10029 0 38
11 Dang 16 97146 857 389 18
12 Devbhoomi Dwarka 211 290388 4208 20 83
13 Gandhinagar 1976 962247 21533 4 205
14 Gir Somnath 378 436284 8620 4 67
15 Jamnagar 1167 1000249 35034 71 483
16 Junagadh 171 1009401 20712 0 272
17 Kutch 747 968032 13283 7 145
18 Kheda 308 741476 11346 87 49
19 Mahisagar 121 453721 8243 0 72
20 Mehsana 762 865554 24564 0 177
21 Morbi 622 457204 6667 0 87
22 Narmada 114 303958 5980 0 15
23 Navsari 1007 537639 7866 38 31
24 Panchmahal 170 683344 11879 0 71
25 Patan 464 554194 11550 0 129
26 Porbandar 68 287255 3491 5 22
27 Rajkot 3236 2298211 59319 49 737
28 Sabarkantha 234 574151 9360 30 157
29 Surat 20891 7285354 151324 550 1970
30 Surendranagar 333 620459 8077 0 136
31 Tapi 76 301246 4497 46 26
32 Vadodara 7411 2309862 80412 45 789
33 Valsad 1681 659726 7399 14 65
  total  70374 35940173 858296 1590

10161

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12753  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને  છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, જ્યારે 70279 નાગરિકો સ્ટેબલ છે. 858455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,164 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1,સુરત  કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 429 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 7311 લોકોને પ્રથમ અને 23942 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 42220 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 62142 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 58291 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 69244 લોકોને અપાયો છે.  આજે કુલ 2,63,593 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,50,62,411 લોકોને રસી અપાઈ છે.