ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 19 કેસ નોંધાયા હતા. જેની સામે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,16,416 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 229 એક્ટિવ કેસો છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 225 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે કુલ 10090 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે. 


આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, જૂનાગઢ અને સુરત કોર્પોરેશનમાં 2-2, ભાવનગર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. જેની સામે વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 2, જૂનાગઢમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધી 18,195 લોકોને રસી આપવામાં આવી છે. 


Coronavirus Cases Today: દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ જોવા મળી રહ્યો છે. જોકે નવા મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10,853 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 526 લોકોના મોત થયા છે. જે બાદ મૃતકોની સંખ્યા 4 લાખ 60 હજાર 791 થઈ ગઈ છે.


 


કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,432 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,44,845 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 49 હજાર 900 લોકો ઠીક થયા છે.


 


વેક્સિનનો આંકડો 108 કરોડને પાર


 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈકાલે 28 લાખ 40 હજાર 174 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે બાદ અત્યાર સુધીમાં 108 કરોડ 21 લાખ 66 હજાર 365 લોકોને વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે.









 


 



 





 


થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકે તેમ જણાવી ડો. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં  થનારી ભીડ વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.