ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 14,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8273 પર પહોચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  


રાજ્યમાં આજે 14737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,43,421 પર પહોંચ્યો છે. જેમાંથી 782 લોકો વેન્ટિલેટર પર અને 518234 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  


ક્યાં કેટલા મોત થયા ? 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15,  સુરત કોર્પોરેશન-7,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 3, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6,  જામનગર કોર્પોરેશમાં 6,  રાજકોટ-6, બનાસકાંઠા-1,  ભાવનગર કોર્પોરેશમાં 5, સુરતમાં 5, જામનગરમાં-7,  જૂનાગઢમાં-6, જૂનાગઢ કોર્પોરેશનમાં 4,  પંચમહાલમાં 1, ગીર સોમનાથમાં-1,  કચ્છમાં-5, દાહોદ -0, આણંદ-1, મહિસાગર-1, અરવલ્લીમાં-0,  ગાંધીનગર  1, પાટણ-2, અમરેલી-1, ખેડા-2, સાબરકાંઠા-0, ભરુચ-3,ગાંધીનગર કોર્પોરેશન 1,નવસારી-1, વલસાડ-2, ભાવનગર-7,  છોટા ઉદેપુર-1, અમદાવાદ-1, સુરેન્દ્રનગર-1, મોરબી-1, નર્મદા-0, દેવભૂમિ દ્વારકા-2 અને બોટાદમાં 1 મોત સાથે કુલ 119 લોકોના મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3359,  સુરત કોર્પોરેશન-889,  વડોદરા કોર્પોરેશન 710,  મહેસાણામાં 588, વડોદરા 429, રાજકોટ કોર્પોરેશન 396,  જામનગર કોર્પોરેશમાં 382,  રાજકોટ-290, બનાસકાંઠા-280,  ભાવનગર કોર્પોરેશમાં 280, સુરતમાં 273, જામનગરમાં-264,  જૂનાગઢમાં-259, જૂનાગઢ કોર્પોરેશનમાં 246,  પંચમહાલમાં 231, ગીર સોમનાથમાં-223,  કચ્છમાં-189, દાહોદ -179, આણંદ-176, મહિસાગર-175, અરવલ્લીમાં-171,  ગાંધીનગર-160, પાટણ-155, અમરેલી-146, ખેડા-139, સાબરકાંઠા-139, ભરુચ-131, ગાંધીનગર કોર્પોરેશન-124, નવસારી-121, વલસાડ-102, ભાવનગર-99,  છોટા ઉદેપુર-98, અમદાવાદ-83, સુરેન્દ્રનગર-76, મોરબી-72, નર્મદા-67, દેવભૂમિ દ્વારકા-58, તાપીમાં-49,પોરબંદરમાં-46, બોટાદમાં 30 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 11892 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 


કેટલા લોકોએ લીધી રસી


 



વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,87,224  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 31,15,821  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,34,03,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39,790 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.