Gujarat elction 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી વાપી પહોંચ્યા છે. અહીં પ્રધાનમંત્રી મોદીનો શાનદાર રોડ શો યોજાયો છે. વાપીમાં નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દમણ -વાપી રોડ પર હજારોની જનમેદની ઉમટી પડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા વાપીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ રોડ શોમાં આદિવાસી લોક નૃત્યો સાથે વૃંદગાનનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે. વાપી ચલા રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાના બાળકો સહિત તમામ ઉંમરના લોકો મોદીમય બન્યા છે.
PM મોદીનો 19થી 24 નવેમ્બર સુધીનો કાર્યક્રમ
19 નવેમ્બર
20 નવેમ્બર, 2022
20 નવેમ્બરે સોમનાથ જવાન રવાના થશે રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભાને સંબોધિક કરશે તો બપોરે 12:45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધિત કરશે. , બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને સાંજે 6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. તેઓ રાત્રે ગાંધીનગર પરત ફરશે અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે
21 નવેમ્બર, 202221 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે
23 નવેમ્બર, 202223 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.
24 નવેમ્બર, 202224 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત, દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી વલસાડમાં જ રાત્રિ રોકાણ કરશે
પ્રધાનમંત્રી મોદી વલસાડમાં જ રાત્રિ રોકાણ કરશે. જે બાદ આવતીકાલે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચશે. બાદમાં સવારે 11 વાગ્યે વેરાવળમાં, પોણા એક વાગ્યે ધોરાજીમાં અને બપોરે અઢી વાગ્યે અમરેલીમાં અને સાંજે સવા છ વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. બાદમાંમાં ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે 21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે કરશે. બાદ એક દિવસનો વિરામ લઈને 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધન કરશે. જે બાદ બીજા દિવસે 24 નવેમ્બરે બનાસકાંઠાના પાલનપુર, ગાંધીનગરના દહેગામ, ખેડાના માતર અને અમદાવાદમાં જંગી જનસભામાં સંબોધન કરશે.