= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું મનોદિવ્યાંગ એવા કમાભાઈને લઈને પાટણ કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કમાથી ચૂંટણી જીતાતી હોય તો કમાને ટિકિટ આપો અને કમાને ગુજરાતનો સીએમ બનાવો એટલે ગુજરાતનો વિકાસ થશે. સાથે જ કિરીટ પટેલે મતદારોને ઉમેદવારોને લઈ પણ વિવાદીત સલાહ આપી હતી. કિરીટ પટેલે પાટણમાં યોજાયેલ ચૂંટણી સભામાં મતદારોને વિવાદીત સલાહ આપતા કહ્યું કે બે બાબત જુઓ કાં તો સાવ ચોખ્ખો જુઓ કાં તો સાવ લુખ્ખા જોવો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દાંતાના ભાજપના ઉમેદવાર લઘુ પારઘી નિયમોનું ભાન ભૂલ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન દાંતાના ભાજપના ઉમેદવાર લધુભાઇ પારગીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે નિવેદન આપતાં કહ્યું, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર લધુ પારગીએ ભાજપનું નાક દબાવીને ટિકિટ મેળવી છે. ABP અસ્મિતા વીડિયોની પુષ્ટિ નથી કરતું
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે લીધા ગુરુ લાલબાપુના આશીર્વાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજા ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે માતાજીના તથા સંત શ્રી પૂજ્ય લાલબાપુના દર્શનાર્થે પહોંચ્યા હતા. જામનગરમાં ભાજપના ઉમેદવાર તરીકે રિવાબા જાડેજા જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ લાલબાપુ ના આશીર્વાદ લીધા હતા.
હું ક્યારેય કોંગ્રેસ નહીં છોડુંઃ લલિત વસોયા
ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ. વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહ્યો છે. તો પોલીસ અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ધમકાવે છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવાની ધમકી અપાય છે અને કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. અને જો પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની બળદેવજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
લલિત વસોયાએ કહ્યું- હું કોગ્રેસ ક્યારેય નહી છોડું ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ.