Gujarat Election 2022 Live Updates: આ ચૂંટણી આપણાં ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે છેઃ વડાપ્રધાન મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે
gujarati.abplive.com Last Updated: 24 Nov 2022 02:10 PM
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે રાજકીય પાર્ટી તાબડતોબ રેલી અને જનસભા...More
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે રાજકીય પાર્ટી તાબડતોબ રેલી અને જનસભા યોજી રહી છે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 4 વિસ્તારમાં સભાને ગજવશે. તેઓ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સભા યોજશે. પાલનપુર, મોડાસા, દેહગામ, બાવળામાં PM મોદી સભા ગજવશે. જેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે. મનસુખ માંડવિયા યોજશે સભા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આજે ગુજરાતમાં 4 સભાને સંબોધિત કરશે. તેઓ સવારે 10 વાગ્યે ટંકારા જશે બાદ 12.20 ગીર સોમનાથ જશે.તો ઉનામાં સાંજે 4.45 વાગ્યે સભાને સંબોધિત કરશે. સાંજે 6 વાગ્યે ભૂજમાં સભા ગજવશે. પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ-શો કરશે અને જનસભા ગજવશે.તેઓ નાંદોદના AAPના ઉમેદવાર માટે કરશે પ્રચાર ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને 5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાને કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે, અમારે વિકાસના જ રસ્તે જવું છે
પાલનપુર બાદ મોડાસામાં પણ વડાપ્રધાન મોદીએ સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે, અમારે વિકાસના જ રસ્તે જવું છે, વોટ બેંકના રસ્તે નથી જવું, લોકોનું ભલું કરવું જ છે. જે સમ્સ્યાઓનું સમાધાન નાગરિકો ના કરી શકે જે માત્ર સરકારે જ કરવાનું હોય એ કામો બધા અમારે પૂરા કરવાના છે. આ ચૂંટણી આપણાં ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે છે આ ચૂંટણી 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી, આ ચૂંટણી ગુજરાતના આગામી 25 વર્ષનો નિર્ણય કરવા માટે છે.