Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા 13મી સપ્ટેમ્બર સુધી ચૂંટણી લડવા માંગતા દાવેદારોને દાવેદારી નોંધાવી દેવાનું કહી દેવામાં આવ્યું છે. ત્યારે કચ્છમાં કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડવા માટે પડાપડી થઈ રહી છે. વિધાનસભાની ટિકિટ માટે કોંગ્રેસમાં પડાપડી છે. 


કચ્છ કોંગ્રેસમાં વિધાનસભાની ટીકીટ માટે 83 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. કચ્છની છ બેઠક પર કોંગ્રેસના 83 દાવેદારોએ ટિકિટનો દાવો કર્યો. અબડાસામાં 20, માંડવીમાં 19, ભૂજમા 7, અંજારમાં 13, ગાંધીધામમાં 20 અને રાપરમાં 4 મળી એમ કુલ 83 દાવેદારી નોંધાઇ છે. 


કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ચૂંટણી લડવાને લઈને મહત્વનું નિવેદન


વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ચૂંટણી લડવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગર ઉત્તરની વિધાનસભાથી હું ચૂંટણી નથી લડવાનો. ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી લડવી હશે તો લડીશ. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ. પાર્ટી આદેશ કરશે તો વિજાપુરથી ચૂંટણી લડવાની મારી પ્રથમ પ્રાયોરીટી રહેશે. અન્ય બીજી પ્રાયોરિટી સાબરકાંઠાની હિંમતનગર રહેશે. જો કે હજુ ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ ત્યાં જ ટિકિટ અને ચૂંટણી લડવાને લઈને નેતાઓના નિવેદનો આવવા લાગ્યા છે.


વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો


ગુજરાતના રાજકારણને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. નોંધનિય છે કે,  1લી મેના દિવસે AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. જો કે, થોડા દિવસોમાં જ  AAP અને BTPનું ગઠબંધન તૂટી ગયું. AAP સાથેના ગઠબંધનથી રાજકીય નુકશાન થવાનો BTPને ગર્ભિત ભય  હોવાની વાત સામે આવી છે. કેટલીક બેઠકો હારવાના ડરથી BTPએ ગઠબંધન તોડ્યું. આગામી સમયમાં BTP કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.


Kejriwal Gujarat Vist Third Day : આજે કેજરીવાલ કરી શકે છે વધુ એક જાહેરાત, સફાઇકામદારો સાથે કરશે વાર્તાલાપ


અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે ફરી એકવાર વિધાનસભા ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. આજે સાંજે કેજરીવાલ સફાઈ કામદારો સાથે ટાઉનહોલ મિટીંગ કરશે. તેમજ આ સમયે જ વધુ એક વચન આપી શકે છે. સફાઇ કામદારોને લઈને કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.