અમદાવાદઃ મિશન 2022ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.  કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ 2 દિવસોમાં 5 જેટલી જનસભા સંબોધશે.



Gujarat Election : કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા જોડાયા આપમાં?, 2 હજારથી વધુ હોદ્દેદારોની નિમણૂક


Gujarat Election : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી આજે ઉદેસિંહ ચૌહાણ આપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઉદેસિંહ આપમાં જોડાયા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીને સંગઠનની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. સ્ટેટ લેવલે 50થી વધુ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. વિધાનસભા ક્ષેત્રો સહિત 2 હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 




 


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સાથે કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ દિવસે ને દિવસે રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. ગત અઠવાડિયે મહિસાગરમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામુ ધરી દીધું હતું. 


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી આજે આપમાં જોડાયા છે.  


મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છેલ્લા કેટલાય સમયથી ઉદેસિંહ ચૌહાણ કોંગ્રેસથી નારાજ હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તથા મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી આપ્યું રાજીનામું ધરી દીધું હતું. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, પાર્ટીને વફાદાર હોવા છતાં અનાદર કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય તથા પક્ષના વરિષ્ઠ સંગઠનના હોદ્દેદારો તરફથી કોઈ પદની કે પક્ષની કામગીરી કરવા સહકાર મળતો નથી. પક્ષ તરફથી ઉભા રાખવામાં આવતા ઉમેદવારોને જીતાડવા માટે કાયમ માટે મહેનત કરી છે.કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, અમુલ ડેરીના ડીરેક્ટરની ચુંટણીમાં કોંગ્રેસની પેનલમાં ઉમેદવાર હોવા છતાં પક્ષના આગેવાનો દ્વારા તેમને જીતાડવામાં કોઈ ભૂમિકા ભજવવામાં આવી ન હતી.પક્ષમાં સતત કામ કરવા છત્તા વ્હલાદવલાની નીતિ રાખી સતત અન્યાય કરી અવગણના કરવામાં આવે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ઉદેસિંહ ચૌહાણ પોતાના તમામ કાર્યકર્તાઓને સાથે રાખી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.