Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે.  નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.  બીટીપીના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું હતું. 


BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા આપમાં જોડાયા છે, BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ટીકીટ ન મળતા બળવો કર્યો. તમામ ડેડીયાપાડાનાBTPના હોદ્દેદારો રાજીનામુ આપી આપમાં જોડાયા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા સહિત BTPનો ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા BTPના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. આપમાં જોડાતા હવે ડેડીયાપાડા માં 4 પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવાર લડશે ચૂંટણી. અત્યાર સુધી માત્ર ત્રી પાખીઓ જંગ ખેલાતો હતો.


વિધાનસભાની  ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.


કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. 


Kheda : કાર લઈ ઊંઢેલા ગામે જઈ રહેલા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત, જાણો સંપૂર્ણ વિગત


ખેડાઃ ઊંઢેલા ગામમાં બંદોબસ્તમાં આવી  રહેલ પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ  બજાવતા કર્મચારી રાકેશ જસવંતલાલ ગઢવીનું મોત નીપજ્યું છે. મૃતક  પોલીસ કર્મચારી મહેમદાવાદ પાસેના વરસોલા ગામના વતની હતા. પોતાની પ્રાઇવેટ કાર લઇ ઊંઢેલા ગામ તરફ  આવી  રહ્યાં ત્યારે બની ઘટના બની હતી. 


ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નવરાત્રિના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલા બાદ સ્થિતિ કાબુમાં છે. નવરાત્રી દરમિયાન તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો હતો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી હતી. પથ્થરમારાની ઘટનામાં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા.


ગઈ કાલે ઊંઢેલ ગામમાં બનેલ ઘટના અંગે ગામના સ્થાનિક લોકોએ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પથ્થરમારાની ઘટના ખૂબ ભયાનક હતી. ગામના લોકોને પણ દાવો છે કે પથ્થર મારાની ઘટનાનું આયોજન વ્યવસ્થિત રીતે અગાઉથી જ કરવામાં આવ્યું હતું. સામે તરફથી પુરુષો અને મહિલાઓ લાકડીઓ લઈને હુમલા માટે તૈયાર હતી. પથ્થર મારાની ઘટના પહેલા હુમલાખોરના જૂથ દ્વારા તેમના ઘરની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી, જેથી કરીને હુમલા અંગે જાણકારી ન થાય એ સ્થાન દાવો છે. 


જ્યારે સરપંચની ચૂંટણી થાય ત્યારે સામા પક્ષે હાર થઈ હતી, જે બાદ તેની અદાવત રાખીને હાલના સરપંચ ઇન્દ્રવદન પટેલને લોહી લુહાણ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેનો બદલો સામે જૂથ દ્વારા નવરાત્રી દરમિયાન ગઈકાલે રાત્રે લેવામાં આવ્યો. ગામના લોકોનું એ પણ કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ માહોલમાં ગરબા કરી રહ્યા હતા. આઠમનો દિવસ હતો એટલે નાના બાળકો દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકો રામ, કૃષ્ણ લક્ષ્મણ વગેરેનો જે વેશ ધારણ કર્યો હતો. જોકે આ ઘટના બનવાથી મહિલાઓને નાના બાળકોમાં ભાઈનો માહોલ પણ ફેલાઈ ગયો હતો.