Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી પણ હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. તેમજ તેમણે કેસરિયો પણ ધારણ કરી લીધો છે. 


કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ  પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતા ભરત ડાંગર, યજ્ઞેશ દવે, જયરાજસિંહ પરમાર અને જૂબીન આસરાએ આવકાર્યા. ભાજપમાં જોડાયા બાદ હિમાંશુ વ્યાસનું નિવેદન, રાજકારણી હોવા છતાં સુષુપ્ત અવસ્થામાં હતો. મેં વિદ્યાર્થીકાળથી રાજકારણ કર્યું છે. હાઈકમાંડના નેતાઓએ અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ફેલ થયું છે. અંતર આત્માનો અવાજ સાંભળી ગતિશીલ પક્ષમાં જોડાયો છું. મેં ભાજપના મહત્વના નેતાઓ સાથે વાત કરી હતી. નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ મને આશીર્વાદ આપ્યા છે. હું સંગઠનનો માણસ છું, ઇલેક્શન પોલિટિક્સ માટે નથી આવ્યો. મને પક્ષ જે જવાબદારી સોંપશે તે નીભાવિશ.


નોંધનીય છે કે, હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. 


Gujarat Election 2022 : રાજીનામા અંગે મેં પાટીલને જાણ કરી હતીઃ જયનારાયણ વ્યાસ


Gujarat Election 2022 : ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા. આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી. જિલ્લાની પરિસ્થિતિ સારી નથી. દર વખતે કાર્યકરોની અવગણના થાય. ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી. પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે.


તેમણે કહ્યું કે, નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલનું કાર્ય સારું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ દ્વારા જિલ્લાનું વાતાવરણ બગડ્યું. આજે હું કાર્યકરો સાથે નક્કી કરીશ. હું ચૂંટણી લડીશ તેમાં બે મત નથી. રાજકારણમાં રહીને લોકોના કામ કરીશ. રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.


તેમણે કહ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી. હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે. રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે. કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ. મેં અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે. રાજીનામા અંગે મેં પાટીલને જાણ કરી હતી.